ટીસીએસ ની જવાબદારી અંગેના પ્રશ્નો જવાબ તથા વ્યવહારુ ઉદાહરણો

ટીસીએસ ની જવાબદારી અંગેના પ્રશ્નો જવાબ તથા વ્યવહારુ ઉદાહરણો

  • ટીસીએસ કઈ રકમ પર લાગે છે?

ટીસીએસ ૫૦ લાખથી ઉપરની રકમ ઉપર જ લેવાનો છે એટલે કે કોઈ એક વ્યક્તિ પાસેથી માલના વેચાણ પેટે નાણાંકીય વર્ષ દરમ્યાન ૬૦ લાખ મળે તો ૫૦ લાખ બાદ કરીને ૧૦ લાખના ૦.૦૭૫% લેવાનો છે અને ૫૦ લાખથી રકમ વધે પછી દર મહીને મળેલ રકમ ઉપર ટીસીએસ ભરવાનો રહેશે.
તા. ૦૧/૧૦/૨૦૨૦ પહેલા રૂ. ૫૦ લાખથી વધારેના માલનું વેચાણ કરેલું હોય (બીલ બનેલું હોય) અને તેનું પેમેન્ટ તારીખ ૦૧/૧૦/૨૦૨૦ પછી મળે તો પણ તેના ઉપર ૦.૦૭૫% ટીસીએસ કરવાનો થાય છે.
ઉદા. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી રૂ, ૫૦ લાખથી ઓછું વેચાણ કરેલ હોય તો:

તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધીનું વેચાણ રૂ. ૩૫ લાખ
૨. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી વેચાણ પેટે મળેલ રકમ રૂ. ૨૫ લાખ
૩. તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી બનાવેલ વેચાણ બીલ રૂ. ૩૦ લાખ

ઉપરોકત સંજોગોમાં કુલ રૂ. ૬૫ (૩૫ + ૩૦ લાખ)  લાખનું વેચાણ એક જ વ્યક્તિને કરેલ હોવાથી તેમાં ટીસીએસની જવાબદારી ઉભી થશે. હવે જયારે બધીજ રકમ એટલે કે કુલ રૂ. ૬૫ લાખ મળી જશે ત્યારે રૂ. ૧૫ લાખ ની રકમ પર (રૂ. ૬૫ લાખ – રૂ. ૫૦ લાખ [ટીસીએસની કપાત માટેની મર્યાદા]) ૦.૦૭૫%  ટીસીએસની જવાબદારી થશે.
ઉદા. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી રૂ, ૫૦ લાખથી વધારે વેચાણ કરેલ હોય તો:

તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધીનું વેચાણ રૂ. ૬૫ લાખ
૨. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી વેચાણ પેટે મળેલ રકમ રૂ. ૩૦ લાખ
૩. તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી બનાવેલ વેચાણ બીલ રૂ. ૨૦ લાખ

ઉપરોકત સંજોગોમાં કુલ રૂ. ૮૫ લાખનું વેચાણ એક જ વ્યક્તિને કરેલ હોવાથી તેમાં ટીસીએસની જવાબદારી ઉભી થશે. દા.ત. રૂ. ૮૫ લાખ – રૂ. ૫૦ લાખ (ટીસીએસની કપાત માટેની મર્યાદા) = રૂ. ૩૫ લાખ ની રકમ. હવે જયારે ખરીદનાર પાસેથી બધી રકમ મળે ત્યારે રૂ. ૩૫ લાખ પર ૦.૦૭૫%  ટીસીએસની જવાબદારી થશે.
 ઉદા.  તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી ખરીદનાર પાસેથી રૂ, ૫૦ લાખથી વધારે ની રકમ મળેલ હોય તો:

તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધીનું વેચાણ રૂ. ૬૫ લાખ
૨. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી વેચાણ પેટે મળેલ રકમ રૂ. ૫૫ લાખ
૩. તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી બનાવેલ વેચાણ બીલ રૂ. ૨૦ લાખ

 ટીસીએસની જોગવાઈ તા. ૦૧/૧૦/૨૦૨૦ થી અમલી બનેલ હોય આ તારીખ પહેલા જે રકમ મળેલ હોય તેના પર ટીસીએસની લેવાનો થતો નથી. ઉપરોકત સંજોગોમાં કુલ રૂ. ૮૫ લાખનું વેચાણ એક જ વ્યક્તિને કરેલ હોવાથી તેમાં ટીસીએસની જવાબદારી નીચે મુજબ ઉભી થશે. દા.ત. રૂ. ૮૫ લાખ(૬૫+૨૦) – રૂ. ૫૫ લાખ (તા. ૦૧/૧૦/૨૦૨૦ પહેલા મળેલ રકમ) = રૂ. ૩૦ લાખ ની રકમ જયારે ખરીદનાર પાસેથી મળે ત્યારે રૂ. ૩૦  લાખ પર ૦.૦૭૫%  ટીસીએસની જવાબદારી થશે.

  • ટીસીએસ જીએસટી (GST) સહીત ની રકમ પર કે જીએસટી(GST) વગર ની રકમ પર લેવાનો રહેશે?

ઇન્કમટેક્ષ દ્વારા આપવામાં આવેલ FAQ પ્રમાણે ટીસીએસ જીએટી(GST) સહીત ની રકમ પર લેવાનો રહેશે.

  • કયા પ્રકારના વ્યવહારો પર ટીસીએસ લેવાનો થશે નહિ?

એક્સપોર્ટ અને ઈમ્પોર્ટના વ્યવહારો તથા કાયદાની અન્ય કોઈ કલમ હેઠળ પાર્ટીનો ટીડીએસ કાપવાનો થતો હોય અથવા ટીસીએસ કલેક્ટ કરવાનો થતો હોય તો તેના ઉપર ટીસીએસ લેવાનો થશે નહી.

  • ટીસીએસ ની રકમ જમા ક્યારે કરવાની થશે?

આ ટીસીએસની ૦.0૭૫% લેખે જે રકમ મળે તે જે મહિનામાં પેમેન્ટ મળ્યું હોય તેના પછીના મહિનાની ૭ તારીખ પહેલા સરકારમાં જમા કરાવવાના રહેશે અને તેનું ત્રિમાસિક પત્રક ફોર્મ નં. 27EQ માં ભરવાનું રહેશે.

  • પેમેન્ટ આપનાર (માલ ખરીદનાર) પાસે PAN ના હોય તો ટીસીએસની શું જવાબદારી થાશે?

કલમ ૨૦૬C (૧H) પ્રમાણે જો પેમેન્ટ આપનાર (માલ ખરીદનાર) પાસે PAN નંબર ના હોય તો પેમેન્ટ મળે તે રકમના ૧ % લેખે ટીસીએસ લેવાનો રહેશે.

  • ટીસીએસની રકમ ખરીદનાર પાસેથી કેવી રીતે અને ક્યારે વસુલ કરવી?

ટીસીએસની રકમ ખરીદનાર પાસેથી વસુલ કરવા માટે નીચે મુજબના બે વિકલ્પ ઉપલબ્ધ છે.
(1) વેચનાર દ્વારા ટીસીએસની રકમ સીધી વેચાણ ના બીલ માં જ ઉમેરી દેવામાં  આવે.
(2) વેચનાર દ્વારા ટીસીએસની રકમની ડેબીટ નોટ ખરીદનાર ને આપવામાં આવે.

વધુ વિગત માટે સંપર્ક કરો:
મોબાઈલ નં. +૯૧ ૯૩૭૬૯ ૬૨૨૪૪ / ૭૦૪૩૫ ૨૪૨૪૨
ઈમેઈલ : lawserve@ashutoshfinserv.com
અમોને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Ashutoshfinserv  યુ –ટ્યુબ ચેનલ અને FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDINઅમને ફોલો કરો.
અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print