રહેવાસી ભારતીયોની સાથો-સાથ બિન નિવાસી ભારતીયો(NRI) ના વ્યક્તિગત રોકાણોમાં નાણાંકીય મિલકતોના રોકાણમાં નોંધપાત્ર વધારો

રહેવાસી ભારતીયોની સાથો-સાથ બિન નિવાસી ભારતીયો(NRI) ના વ્યક્તિગત રોકાણોમાં નાણાંકીય મિલકતોના રોકાણમાં નોંધપાત્ર વધારો

નાણાંકીય મિલકતો શું છે?
– નાણાંકીય મિલકત એટલે કે બાંધી આવકના રોકાણો, ઈક્વિટી આધારિત રોકાણો, વીમા, ડીમેટ ના સ્વરૂપમાં કીમતી ધાતુઓ વગેરેમાં રોકાણ. નાણાંકીય મિલકતોના રોકાણમાં તાજેતરના સમયમાં નોંધપાત્ર વધારો થવાની શરૂઆત થઇ છે.
ભૌતિક મિલકતો શું છે?
– ભૌતિક મિલકત એટલે કે સ્થાવર મિલકત (જમીન –મકાન) અને કિમતી ધાતુઓ (સોના & ચાંદી) માં રોકાણ. આ એક ઘણા સમયથી ચાલ્યો આવતો રોકાણ માટેનો એક અગત્યનો વિકલ્પ છે.
નાણાંકીય મિલકતોના વધતા પ્રભુત્વનું કારણ.
ભૌતિક મિલકતોમાં વર્તમાન સમયમાં મર્યાદિત વળતરની તક
– ભારતમાં સ્થાવર મિલકતોની ઉપલબ્ધતા અને અનિશ્ચિતતા ને ધ્યાનમાં લેતા ભૌતિક મિલકતમાં રોકાણ એ રોકાણ માટેનો એક આકર્ષક વિકલ્પ ગણી શકાતો નથી.
– બાંધકામ કરેલી સ્થાવર મિલકતમાં વરસો વરસ ઘસારો થતો જાય છે અને તેને લીધે બાંધકામ કરેલી મિલકતની કિમતમાં પણ ઘટાડો થતો જાય છે.
ભૌતિક મિલકતોમાં તરલતાનો પ્રશ્ન
– હાલના સમયમાં, ભૌતિક મિલકતોની તરલતા ખાસ કરીને સ્થાવર મિલકતોની હાલની બજારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યંત પડકારજનક બની રહી છે.
– તેની તુલનામાં, કોઈપણ નાણાકીય મિલકતને કોઈપણ જાતના વધારાના પ્રયત્નો કર્યા વિના, ગમે ત્યારે, ગમે ત્યાંથી સરળતાથી વેચાણ કરી શકાય છે.
ભૌતિક મિલકતોના સંચાલનની સમસ્યા
– સ્થાવર મિલકતોની જાળવણી કરવી અને તેને સુરક્ષિત રાખવી એ ફક્ત સંસાધનોની જ માંગણી કરતું નથી, પરંતુ ઘણો સમય અને પ્રયત્નો પણ માંગી લે છે.
– આપણા વ્યાવસાયિક અને અંગત જીવનના ભોગે કિંમતી સમય ફાળવવો અત્યંત મુશ્કેલ બની જાય છે.
આગામી પેઢીનો અભિગમ
– આગામી પેઢીમાં સ્થાવર મિલકતની જાળવણી માટેના રસનો અભાવ જોવા મળે છે. તદુપરાંત, તેઓ વ્યાપક વ્યાવસાયિક તકો શોધે છે અને કોઈ ચોક્કસ સ્થળ પૂરતા જ મર્યાદિત રહેવાનું પસંદ કરતા નથી.
– આવી વિચારધારા સાથે વારસામાં મળતી સ્થાવર મિલકતોને દુરના સ્થળેથી જાળવણી કરવી અને તેનું વેચાણ કરવું વધુ મુશ્કેલ બને છે.
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ  FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN અમને ફોલો કરો.
અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print