શું ભારતમાં તમામ જીવન વીમા પોલીસીમાંથી મળેલ રકમ કરમુકત છે?
વીમા પોલીસી હેઠળ પ્રાપ્ત કોઈપણ રકમની કરપાત્રતા આવકવેરા કાયદાની કલમ 10 (10 ડી) દ્વારા નક્કી કરવામાં આવે છે. જેનો સારાંશ નીચે મુજબ આપી શકાય:
▶️ જ્યારે વીમાધારકનું મૃત્યુ થાય તેવી સ્થિતિમાં નોમીનીને વીમા પોલીસી રકમ પ્રાપ્ત થાય ત્યારે તેની કરપાત્રતા શું છે?
✅ વીમાધારકના મૃત્યુના કિસ્સામાં કોઈ પણ જીવન વીમા પોલીસી ની રકમ કે જે નોમીનીને (લાભકર્તા) પ્રાપ્ત થતી હોય તેમાં ચૂકવેલ પ્રીમિયમ અથવા અન્ય કોઈ પણ બાબતને ધ્યાનમાં લીધા વિના હંમેશાં કરમુક્ત હોય છે.
▶️ જ્યારે જીવન વીમા પોલીસીની રકમ વીમાધારક વ્યક્તિ દ્વારા મુદત પૂરી થયા બાદ પ્રાપ્ત થાય ત્યારે તેની કરપાત્રતા શું છે?
✅ જો પોલિસીના સમયગાળા દરમિયાન પ્રત્યેક વર્ષ (ટોપ અપ પ્રીમિયમ સહિત) માટેનું પ્રીમિયમ વીમાધારક વ્યક્તિની વીમાની રકમના ૧૦% કરતા વધારે ન હોય તો, વીમા કંપની દ્વારા પાકતી મુદતે મળતી રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે.
✅ અન્ય કોઈ પણ કિસ્સામાં, આવક (મળેલ રકમમાંથી વર્ષોથી ચૂકવેલા કુલ પ્રીમિયમ ની રકમ બાદ કરવાની રહેશે) જે તે વ્યક્તિને લાગુ પડતા સ્લેબ દરો હેઠળ કરપાત્ર થાય છે.
✅ જો વીમા પોલીસીની પાકતી મુદતે મળતી આવક (રૂ. ૧ લાખથી વધુ) કરપાત્ર હોય તો, વીમા કંપની દ્વારા પાકતી મુદતે મળતી આવકના ભાગ પર ૧% ના દરે કપાત (ટીડીએસ) કરવામાં આવશે. આ ટેક્ષ ક્રેડીટની રકમનો ટેક્સ રીટર્ન ફાઇલ કરતી વખતે દાવો કરી શકાય છે.
👉🏻 અમે ઘણીબધી વીમા કંપનીઓના પ્લાન ઓફર કરીએ છીએ. જે તે વ્યક્તિની જરૂરિયાત અનુસાર શ્રેષ્ઠ લાક્ષણિકતાઓ અને સૌથી વધુ સ્પર્ધાત્મક પ્રીમિયમ સાથે વિવિધ કંપનીઓના પ્લાનની તુલના કર્યા પછી અમે તમારા માટે યોગ્ય અને સર્વોતમ પ્લાન આપીએ છીએ.
તમારા માટે શ્રેષ્ઠ વીમાનો પ્લાન મેળવવા માટે અમારો સંપર્ક કરો.
આશુતોષ ઇન્સયોરન્સ સર્વિસીસ
•તમારા જીવન માટે વીમો,આરોગ્ય અને સંપત્તિ •નિવૃત્તિ યોજના
આશુતોષ ફાઇનાન્શ્યલ સર્વિસીસ પ્રા.લિ. ની સર્વિસીસ
•રોકાણ •વીમા •ઇન્કમટેક્ષ & વારસાઈ હક્કનું આયોજન • એન. આર. આઈ. સર્વિસીઝ
Mobile: +91 73835 30919/93773 35959
Email: rm.insurance@ashutoshfinserv.com
www.ashutoshfinserv.com
આ મેસેજ તમે તમારા રસ ધરાવતા મિત્રો, સગા-સબંધીઓ અને તમારા કોન્ટેક્ટને શેર કરી શકો છો.
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો.
ડિસ્ક્લેમર: વીમો એ આગ્રહનો વિષય છે.